માયા નો આડંબર
સંસાર નો ત્યાગ કરી, ભગવા ધારણ કર્યાં
ને આલિશાન મંદિર અને આશ્રમ બંધાવ્યાં
વૈભવ અને સુવિધાઓ વધ્યાં
ભકતો અને સેવકો વધ્યાં
‘સંસાર એક માયા અને ભૌતિક સુખ એ બધું નાશવંત’
એ.સી. ની ઠંડક માં ઉપદેશ આપ્યાં
મંદિર, આશ્રમ ને ભકતો ના વહીવટ હાથે ધરયાં
સંસારની નાની માયામાંથી મોટી માયામાં ફસાયાં
હૈ મહાત્માજી, પૂછે આ પામર જીવ એક સવાલ
સંસાર એ માયા અને આ બધું શું ?!!…
- પ્રવિણ કે.શ્રીમાળી



Enjoyed beauty of thoughts by your
lovely poetric expression.
Thanks for sharing
Let me also tell something
જીંદગીની અવળી કથા
વાહ આતમ, છેતરાઈ માયાથી તું કેવો મઢાય
જેમ ઝંઝાવાતી પવન કેવો આવી પરપોટે પૂરાય
હાય! અવળી જીંદગીની આ કેવી કથા ?
પામવા સુખચેન,કેવો જીંદગીને રગદોળતો ગયો
ખૂબ ભણી પંડીત થઈ, સ્વર્ગનાં શાસ્ત્રો રચ્યાં
ક્યાંથી આવ્યા ક્યાં જવાના? એટલું ના જાણી શક્યા
બાળપણની મધુર યાદો મોટપણે વાગોળતો રહ્યો
હતો મસ્તને નાદાન ત્યારે મોટો થવા તલપતો રહ્યો
સાધુ ચરીત અને ત્યાગનો મહીમા જગે ગાતો રહ્યો
ખોલી આશ્રમ વને, સૌથી મોટો સંસારી થયો
થોડે હતો સુખી ભૂલી,વધુ પામવા મથતો રહ્યો
થઈ જુગારી છેલ્લે ખાલી હાથે કેવો ગયો
છું કાદવ તોય ખીલવી જાણું હું કમળ
ભૂલી દેવત્વ માનવ ના રચ શેતાનીયતના વમળ
રમેશ પટેલ(આકાશદીપ)
By: Ramesh Patel on August 11, 2009
at 2:10 am
આરણીય રમેશભાઈ,
સાદર નમસ્કાર !!
તમે આપેલ પ્રતિભાવ બદલ હું આપણો ૠણી છું. ખુબ ખુબ આભાર !!
તમારું આ કાવ્ય વાંચીને મજા પડી ગઈ !! વાહ સાહેબ, તમે પણ કમ નહીં!!
ખૂબ ભણી પંડીત થઈ, સ્વર્ગનાં શાસ્ત્રો રચ્યાં
ક્યાંથી આવ્યા ક્યાં જવાના? એટલું ના જાણી શક્યા
આ પંકિતઓ તો લાજવાબ છે
By: પ્રવિણ શ્રીમાળી on August 11, 2009
at 2:46 pm
excellent post
congrtulation
By: હિતેશ્ભાઇ જોશી on July 24, 2009
at 3:04 am
Pravinbhai,
barabar vaat.sachi vat.
khub saras!
Sapana
By: sapana on July 24, 2009
at 12:05 am