Posted by: પ્રવિણ શ્રીમાળી | August 7, 2009

જગત માં સુખ

(સાહિત્ય લખવા માં જયારે હું પા..પા..પગલી માંડતો હતો ત્યારે ધો-૮ માં ભણતો હતો ત્યારે સૌ પ્રથમ વાર મારું આ કાવ્ય લોકલ અખબાર “નગર સંદેશ” ના ‘દિપોત્સવી અંક’ માં ૧૯૯૨ માં છપાયું હતું, ત્યારે મને લાગ્યું હતું આજ મેં ઉપર આઁસમાં નીચે…ત્યાર પછી આ કાવ્ય ફરી એકવાર ૨૦૦૪ માં “હિન્દુ મિલન મંદિર” ના ‘દિપોત્સવી અંક’ માં છપાયું)

જગત માં સુખ

માનવોના દિલમાં સદા રહ્યો
ઉછળતો પ્રેમનો દરિયો
તો નથી રહ્યું જગતમાં દુઃખ,
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ

જો હૈયાંમાં ઘૂઘવતો રહ્યો
સ્નેહનો સાગર
તો નથી રહ્યું જગતમાં દુઃખ,
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ

જો હૈયામાં મમતા જાગી તો,
તો દુઃખ જાય ભાગી
તો નથી રહ્યું જગતમાં દુઃખ
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ

-પ્રવિણ કે.શ્રીમાળી


Responses

  1. nice one. keep it.
    shukh ne dukh to takdir ni vat che.
    gam ma radvu ne hasvu pan ek sanjog che.

    jagat dukho thi barlu che.
    bus hasvano marag kodvano che.

  2. જો હૈયામાં મમતા જાગી તો,
    તો દુઃખ જાય ભાગી
    આઠમાં ધોરણમાં ખુબ વિચારવંત કાવ્ય સર્જન કર્યુ છે તમે…પ્રેમ સ્નેહ અને મમતાનું માહાત્મ્ય કેટલું વ્યાપક પરિણામ લાવી શકે છે તે જણાય છે….
    જો માનવ થાય ત્યાગી
    તો થાય થોડો જાગી
    તો નથી રહ્યું જગતમાં દુઃખ
    સર્વ વ્યાપ્ત જગતમાં સુખ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 226 other followers